શિયાળો હોય કે ઉનાળો કે ચોમાશુ પણ દરેકના રસોઈમાં આદુ હોવું સામાન્ય વસ્તુ છે. જો કે મોટાભાગની સ્ત્રીઓ તેનો ઉપયોગ ક્યારેક ચામાં તો ક્યારેક શાકભાજીમાં કરે છે. આ સિવાય પણ ઘણા લોકો સવારે ખાલી પેટ આદુવાળી કડક ચા પીવાના શોખીન હોય છે કારણ કે તે સ્વાદની સાથે હેલ્ધી પણ છે.
આ કડક ચા પીવાથી તરત જ તમારા હૃદય અને મગજને તાજગી આપે છે. આ સાથે જ ઘણી મહિલાઓ વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ આદુમાંથી બનાવેલ ઉકાળો પણ પીવે છે.
કારણ કે વિટામિન સી, મેગ્નેશિયમ અને બીજા મિનરલ્સથી ભરપૂર આ આદુની ચા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખાલી પેટ વધારે આદુનું સેવન કરવાથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે આદુની તાસીર ખૂબ જ ગરમ હોય છે.
આ વાત તમને પણ અજીબ લાગશે, પરંતુ સાચું છે કે ખાલી પેટ વધારે આદુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. જો આદુને ખાલી પેટે વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
છાતીમાં દુખાવો, એસિડિટી વગેરે થઈ શકે છે. ઘણા સંશોધનો અનુસાર વધુ માત્રામાં આદુનું સેવન કરવાથી શરીરમાં પાચન રસ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે જે તમને પરેશાન નું કારણ બની શકે છે. જો કે આ સમસ્યાઓ દરેકને સમાન થાય તે પણ શક્ય નથી.
બ્લડ પ્રેશર પર અસર કરી શકે : જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તેઓને યોગ્ય માત્રામાં આદુનું સેવન કરવું જોઈએ. પરંતુ જેમનું બ્લડ પ્રેશર ઓછું છે તેમના માટે આદુની થોડી માત્રા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે આદુમાં લોહીને પાતળું કરનારા તત્વો હોય છે એટલે જો તમે ખાલી પેટે જરૂર કરતાં વધુ આદુનું સેવન કરો તો લો બીપીવાળા લોકોનું બીપી વધારે ઘટી શકે છે.
એસિડિટી : જો આદુને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે ફાયદાકારક છે અને જો વધુ માત્રામાં લેવામાં આવે તો તે એસિડિક બને છે, જેનાથી તમને પેટમાં બળતરા, વધારે પડતા ઓડકાર અને ઝાડા જેવા જઠરાંત્રિય રોગો થઈ શકે છે. આદુની ચા પીવાથી પેટમાં એસિડનું સ્તર વધે છે જેના કારણે માનવ શરીરમાં એસિડ ઉત્પન્ન થાય છે અને તે એસિડિટીનું કારણ બને છે
છાતીમાં દુખાવો : લોકો ખાવાથી લઈને ચા વેગેરે અનેક રીતે આદુનું સેવન કરે છે. જો કે એ વાતમાં કોઈ શંકા નથી કે કોઈપણ વસ્તુમાં આદુ નાખીને પીવાથી કે ખાવાથી તે વસ્તુનો સ્વાદ પણ વધે છે અને પાચનક્રિયા પણ જળવાઈ રહે છે, પરંતુ ક્યારેક જરૂર કરતાં વધારે આદુનું સેવન નુકસાન થઈ શકે છે. તે છાતીમાં દુખાવાનું કારણ બની શકે છે. કેટલાક લોકોને પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ખરાબ પાચન થવાની શક્યતાઓ પણ વધી જાય છે.
ઝાડા : તમે જાણતા હશો કે આદુના નિયમિત સેવનથી પેટ સબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. આ જ કારણે લોકો ખાલી પેટ આદુનું સેવન શરૂ કરી દે છે, પરંતુ આદુનું વધારે માત્રામાં સેવન કરવાથી ઝાડા થઈ શકે છે. આ કારણ છે કે આદુની તાસીર ગરમ છે જેના કારણે તે પેટમાં ગરમી પેદા થાય છે. આને કારણે ઝાડા અને ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે.
મહિલાઓને થઈ શકે છે સમસ્યા : આદુની તાસીર ગરમ હોય છે અને તેમાં રહેલા તત્વો લોહીને પાતળું કરવાનું કામ કરે છે. જો તમે તે મહિલાઓમાંથી એક છો જેમને પીરિયડ્સની સમસ્યા છે તો તમારે આદુનું વધુ પડતું સેવન ના કરવું જોઈએ. કારણ કે આદુનું વધુ માત્રામાં સેવન કરવાથી તમને પીરિયડ્સમાં વધુ લોહી આવવાની શક્યતા રહે છે. તેથી આદુનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ.
ઘણા કિસ્સાઓમાં તો આદુ ત્વચા માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. કેટલાક લોકોને ત્વચા પર ફોલ્લીઓ થાય છે તો કેટલાકને લાલ નિશાન વગેરેની સમસ્યા હોય છે. જો કે એવું પણ શક્ય નથી કે આ લક્ષણો બધા લોકોમાં દેખાય જ છે પરંતુ જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા છે તો તમારે ખાલી પેટ આદુનું સેવન કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ.
સામાન્ય કરતાં વધારે વજન ઘટી જવું : ઘણી મહિલાઓ વજન ઘટાડવા માટે ખાલી પેટ આદુનો ઉકાળો પીવે છે. કારણ કે ખાલી પેટ આદુના પાણીનું પીવાથી વજન ઘટે છે. કારણ કે તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વજન ઘટાડવામાંઉપયોગી છે. પરંતુ જો તમે તેનું વધારે સેવન કરશો તો તમારું વજન સામાન્ય કરતા વધારે ઘટશે અને ઓછું વજન તમને ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે.
ઘણીવાર મહિલાઓ વજન ઘટાડવા માટે ખાલી પેટ આદુનું સેવન કરે છે. કારણ કે ખાલી પેટ આદુના પાણીનું નિયમિત સેવન કરવાથી વજન ઘટે છે. કારણ કે તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. પરંતુ જો તમે તેનું વધારે સેવન કરશો તો તમારું વજન ઝડપથી ઘટશે અને ઓછું વજન તમને ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે.
આદુનું કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ : નિષ્ણાતો મુજબ આદુની માત્રા વ્યક્તિના સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે પરંતુ સામાન્ય વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ આદુનું સેવન કરવું પૂરતું છે. સગર્ભા સ્ત્રીઓએ એક દિવસમાં 2.5 ગ્રામથી વધારે આદુનું સેવન ના કરવું જોઈએ.
જો તમારું પાચન ખરાબ છે તો 1.2 ગ્રામથી વધારે આદુનું સેવન કરવાથી બચવું જોઈએ. જો તમારું વજન સતત ઓછું થઈ રહ્યું છે તો 1 ગ્રામથી વધારે આદુનું સેવન ના કરવું જોઈએ. જો તમે પણ આ ઉપર જણાવેલી બીમારીઓથી પરેશાન થવા નહિ માંગતા તો આજથી જ ખાલી પેટ વધારે પડતું આદુનું સેવન કરવાનું ટાળો.
જો તમને આ માહિતી પસંદ આવી હોય અને આવી જ જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.