આપણે પણ મોટાભાગની વસ્તુઓ બનાવવા માટે સૌથી પહેલા કૂકરને પસંદ કરીએ છીએ. જો પ્રેશર કૂકરમાં રસોઈ બનાવવાથી ઘણો સમય બચે છે અને તેમાં રસોઈ બનાવવી પણ ખૂબ જ સરળ છે. જો કોઈ શાકને રાંધવામાં અડધા કલાક જેવો સમય લાગે છે તો તે જ શાકને કૂકરમાં બનાવવામાં આવે તો 10 મિનિટમાં રાંધી શકાય છે.
કૂકરનો ઉપયોગ કરવાથી તમારું કામ ઘણું સરળ બને છે અને ગેસ અને સમય બંનેની બચત થાય છે, પરંતુ આપણા બધાની એક સમસ્યા છે જે ઘણી વાર જોવા મળે છે તે એ છે કે કૂકરમાં રાંધ્યા પછી તેને સાફ કરવું ખૂબ મહેનતવાળું કામ છે.
પ્રેશર કૂકરમાં જમવાનું બનાવ્યા પછી જો વાસણો અને એમાં ખાસ કરીને પ્રેશર કૂકરનું ઢાંકણું ધોવાનું કામ તમને સૌથી વધારે કંટાળાજનક લાગતું હોય તો અમે તમને જણાવીશું કે તેને સરળતાથી કેવી રીતે સાફ કરવું. પ્રેશર કૂકરને ધોવું અને સાફ કરવું તમને કંટાળાજનક લાગતું હોય તો તમે થોડી ટિપ્સની મદદથી તેને થોડી મિનિટોમાં સાફ કરી શકો છો.
1. જો પ્રેશર કૂકરનું ઢાંકણું વધારે બળી ગયું હોય તો તેને આ રીતે સાફ કરો : જો પ્રેશર કૂકરનું ઢાંકણું વધારે બળી ગયું હોય તો તમારે તેને સાફ કરવા માટે થોડો જુગાર તો કરવો જ પડશે. જુગાડ એવો છે કે એકવાર તમારે પ્રેશર કૂકરના ઢાંકણને એક ખાસ કેમિકલ મિક્સમાં ડુબાડવું પડશે. ના ના, અહીંયા તમારે બજારમાંથી કોઈ વસ્તુઓ લાવવાની જરૂર નહિ પડે, તે ઘરે જ થઈ જશે.
હકીકતમાં તમારે પ્રેશર કૂકરના ઢાંકણને ત્રણ વસ્તુઓ મિક્સ કરીને તેમાં 5 મિનિટ માટે ડુબાડવું પડશે. સામગ્રી : હૂંફાળું પાણી, 1 કપ સફેદ વિનેગર અને 2 ચમચી ખાવાનો સોડા. બસ આ ત્રણ વસ્તુઓને એટલા પ્રમાણમાં મિક્સ કરો કે જેથી કરીને કુકરનું ઢાંકણું ડૂબી જાય.
આ પછી તમારે માત્ર 5 મિનિટ રાહ જોવી પડશે, તેનાથી વધારે રાહ જોવાની જરૂર નથી. બસ આ પછી તમે તમારા પ્રેશર કૂકરનું ઢાંકણ બહાર કાઢીને સરળતાથી સાફ કરી શકો છો. તેના પર રહેલી ગંદકી ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે. તમે તેનું રબર અને સીટી કાઢીને જ સાફ કરો.
2. જો અંદરની બાજુ ડાઘ હોય તો આ રીત સાફ કરો : જો કૂકરના ઢાંકણાની અંદરના ભાગે ડાઘ હોય તો હૂંફાળું પાણી અને લીંબુની છાલથી તમારું કામ થઇ જશે. જો કે એવું નથી કે અંદરથી સાફ કરવું સરળ છે પરંતુ જો બહારથી ઢાંકણું બળી જાય તો તેના કરતાં અંદરના ભાગમાં પડેલા ડાઘને સરળતાથી સાફ કરી શકાય છે.
પ્રેશર કૂકરમાં સાદા પાણીથી ભરો અને તેમાં લીંબુ નાખ્યા પછી 10 થી 15 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળો. પ્રેશર કૂકરના ઢાંકણ પર જેવી વરાળ બનશે તે જ સમયે તેના ડાઘ નીકળવા લાગશે.
3. કાલા ડાઘને દૂર કરવા માટે : જે રીતે આપણે ઉપર પ્રેશર કૂકરનું ઢાંકણું સાફ કરવાની ટિપ્સ જાણી, તેવી જ રીતે જો કૂકરની અંદર અને બહાર બંને બાજુ કુકર વાપરીને ડાઘા પડી ગયા હોય તો તમે ડુંગળીનો ઉપયોગ કરીને દૂર કરી શકો છો .
ડુંગળીનો ઉપયોગ કરવા માટે તમે કૂકરમાં પાણી નાંખો અને 5 થી 6 ડુંગળીના ટુકડા નાખીને તેને ગેસ પર ઉકળવા દો. તેને ધીમી આંચ પર 20 મિનિટ સુધી ઉકળવા દો. ડુંગળીનું સલ્ફ્યુરિક એસિડ કૂકરના કાળા ડાઘ દૂર કરશે અને તમારું કુકર ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે.
તો આ હતી ત્રણ ટિપ્સ, જે તમારા માટે ઘણી સારી સાબિત થઈ શકે છે અને તમે પણ તેનો ઉપયોગ કરીને તમારું મહેનતવાળું કામને ચપટીમાં કરી શકો છો.