ભારતમાં વિવિધ પ્રકારની દાળ ખાવામાં આવે છે. દાળનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં પણ થાય છે અને સાથે જ આ પ્રોટીનથી ભરપૂર દાળને ખાવાથી ઘણી બીમારીઓ દૂર પણ રહી શકાય છે. દાળ સ્ટોર કરવાની ઘણી રીતો છે, પરંતુ તેને સ્ટોર કરતી વખતે દાળમાં નાના દાણાના જંતુઓ પડી જાય છે.
સફેદ અને કાળા બંને પ્રકારના કીડાઓ અને જીવ જંતુઓ દાળને ધીમે ધીમે ખાય છે અને તેના કારણે કેટલીકવાર આખી દાળ બગડી જાય છે. કીડા પડેલી દાળનો ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ આપણે આ દાળમાં કેટલીક ટિપ્સ અપનાવીને દાળને કીડા પડવાથી બચાવી શકાય છે. આ સિવાય દાળમાં કાંકરા પડવા પણ એક મોટી સમસ્યા છે.
દાળમાં કીડાઓ કેમ પડે છે? જ્યારે દાળને લાંબા સમય સુધી સ્ટોર કરવામાં આવે તો કીડાઓ પડવાની સંભાવના વધી જાય છે. ઘણી વખત આનું કારણ અનાજમાં રહેલા જંતુઓના ઈંડા હોય છે, જે કાં તો ચેપગ્રસ્ત દાણાની પાસે રાખવામાં આવતા હોય છે અથવા તે પહેલાથી જ તેમાં હાજર હોય છે જેને આપણે જોઈ શકતા નથી.
આ માટે બજારમાં ઘણા પ્રકારની પ્રોડક્ટ મળી જશે પરંતુ તે આપણા માટે ખરાબ પણ છે. આવી સ્થિતિમાં કીડાઓને દૂર કરવા માટે એવું કરીએ જેથી કરીને અનાજને નુકસાન પણ ના પહોંચે અને જેમાં વધારે કેમિકલ્સ પણ ના હોય.
1. આખી હળદરનો ઉપયોગ કરો : આખી હળદર બજારમાં મળી જાય છે અને તેની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. જો તમે વધારે દાળ સ્ટોર કરો છો, ઉદાહરણ તરીકે 20 કિલો દાળ હોય તો તેમાં 4-5 હળદરની ગાંઠ નાખો. આ એક ખુબ જ અસરકારક અને નેચરલ રીત છે. આ કાળા જંતુઓ અને સફેદ કીડાઓથી દૂર રાખવામાં મદદ કરશે.
2. સરસોના તેલનો ઉપયોગ કરો : હવે તમે વિચારતા જ હશો કે દાળમાંથી જીવાતોને દૂર રાખવા સરસવના તેલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, પરંતુ આ એક ખૂબ જ અસરકારક રીત છે જે ભીનાશથી અને જંતુઓથી પણ બચાવે છે. જ્યારે ઓછી 2-5 કિલો દાળ સ્ટોર કરવાની હોય ત્યારે આ રીતેનો ઉપયોગ કરો.
સૌ પ્રથમ 2 કિલો દાળમાં 1 ચમચી સરસવનું તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને પછી દાળને તડકામાં સૂકવી દો. આમ કરવાથી તેમાં રહેલા જંતુઓ તો દૂર થશે જ પરંતુ તેમાં બીજા કીડાઓ આવવાની શક્યતા પણ ખતમ થઈ જશે.
3. લસણનો ઉપયોગ કરો : દાળને કીડાઓથી બચાવવા માટે લસણનો ઉપયોગ પણ કરી શકો છો. લસણ ખૂબ જ તીવ્ર ગંધ હોય છે જેનાથી કીડાઓ ભાગી જાય છે. દાળમાં આખું લસણ નાખો અને તેને ત્યાં સુકાઈ જાય તો પણ સુકાવા દો. તે સુકાઈ ગયા પછી પણ તેનું કામ કરશે. તમારે બીજું કંઈ કરવાની જરૂર રહેશે નહીં.
4. તેજપત્તા નો ઉપયોગ કરો : તેજપત્તા હંમેશા અનાજના જંતુઓને દૂર કરવાનું કામ કરે છે. તમે અનાજ સ્ટોર કરવાના ડબ્બામાં તેજપત્તાનાં પાન રાખો. આનાથી કીડા પણ નહીં આવે અને જે કીડા પડેલા છે તે પણ દૂર થઈ જશે. આ સિવાય, એક પોટલીમાં તમાલપત્ર સાથે લવિંગ ભેગા કરીને પણ મુકી શકો છો.
દાળમાંથી કાંકરી કેવી રીતે નિકાળવી ? આપણે દાળને જંતુઓથી દૂર કરવાની રીત તો જોઈ લીધી,, પરંતુ દાળના કાંકરા કાઢવા મહેનતવાળું કામ છે. સૌથી મોટી વાત એ છે કે તેને ધોયા પછી પણ તેને કાઢી શકાતા નથી કારણ કે દાળના કાંકરા ભારે હોવાથી તે પાણીમાં બેસી જાય છે.
થાળીની મદદથી દાળના કાંકરા દૂર કરી શકાય છે. દાળમાંથી માટી કાઢવા માટે તમારે તેને બે કે ત્રણ વાર ધોવી પડશે. ધ્યાન રાખો કે આમ કરતી વખતે દાળની પોલિશ પણ નીકળી જાય છે અને તેથી ધોયેલું પાણી કાદવવાળું દેખાવા લાગે છે.
આ બધી ટિપ્સ દાળને સાફ રાખવામાં ખૂબ જ કારગર સાબિત થશે. જો તમને આ વાર્તા ગમી હોય અને આવી જ જીવન ઉપયોગી માહિતી વાંચવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.