how to avoid bad smell in bathroom
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરની સાફ-સફાઈની સાથે તમે તમારા વૉશરૂમને પણ નિયમિતપણે સાફ કરો એ ખૂબ જ જરૂરી છે. અનેકવાર સફાઈ કર્યા પછી પણ વોશરૂમમાંથી ગંદી દુર્ગંધ આવતી રહે છે. દુર્ગંધ આવવાના ઘણા નાના કારણો હોઈ શકે છે, જેના પર જો ધ્યાન આપવામાં આવે તો દુર્ગંધ દૂર થઈ શકે છે.

તો ચાલો અમે તમને બાથરૂમમાં આવતી દુર્ગંધના એવા જ કેટલાક નાના કારણો વિશે જણાવીશું અને તેનાથી છુટકારો મેળવવાના કેટલાક ઉપાયો વિશે પણ જણાવીશું. તો ચાલો જોઈએ.

વાળને ગટરમાં ફસાવા દો : સામાન્ય રીતે વાળને શેમ્પૂ કરતી વખતે નબળા વાળ તૂટી જાય છે. ઘણી વખત આપણે એ વાતનું ધ્યાન નથી રહેતું કે ખરતા વાળ ગટરમાં ભેગા થઈ રહ્યા છે. જો આ વાળનો નિકાલ કરવામાં ના આવે તો તેમાં ગંદકી જમા થતી રહે છે.

આ ભૂલ ગટર બંધ કરી દે છે અને સાથે જ વોશરૂમમાં દુર્ગંધ ફેલાવે છે. કારણ કે સાબુનું ફીણ પણ ત્યાં ભેગું થઇ જાય છે, તેથી શ્રેષ્ઠ છે કે વાળ ધોયા પછી તમે ગટરમાં ફસાયેલા વાળને દૂર કરો અને તેને એવી જગ્યાએ ફેંકી દો જ્યાં તે ગટરમાં અવરોધ ના કરે અને પાણી ભેગું ના થવા દે.

કોમોડ ફ્લૅપને હંમેશા બંધ રાખો : કોમોડ એટલે ઊભા ટોયલેટ. આજકાલ મોટાભાગના વોશરૂમ પશ્ચિમી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે, આવી સ્થિતિમાં કોમોડને પણ વોશરૂમ સાથે જોડવામાં આવે છે, તો કમોડને રોજ સાફ કરવું ખૂબ જરૂરી છે.

જો તમે સાફ કરશો તો વૉશરૂમમાંથી દુર્ગંધ નહીં આવે. એટલું જ નહીં, જ્યારે પણ તમે કોમોડનો ઉપયોગ કરો ત્યારે ફ્લશ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, કોમોડનો ઉપયોગ કર્યા પછી, તેના ફ્લૅપને બંધ કરવું જરૂરી છે. ઘણા લોકો આવું નથી કરતા જેના કારણે તેમના વોશરૂમમાં ગંદી વાસ આવે છે.

યોગ્ય વેન્ટિલેશન હોવું જોઈએ : જેમ ઘરના દરેક રૂમમાં યોગ્ય વેન્ટિલેશન હોવું જરૂરી છે, તેવી જ રીતે વૉશરૂમમાં પણ યોગ્ય વેન્ટિલેશન હોવું જરૂરી છે. જો આવું ન થાય તો વૉશરૂમમાં એક વિચિત્ર દુર્ગંધ આવતી રહેશે. જો તમારા વોશરૂમમાં સારી વેન્ટિલેશન સિસ્ટમ નથી તો તમારે એક્ઝોસ્ટ ફેન લગાવવો જોઈએ. તેનાથી વૉશરૂમમાં વેન્ટિલેશન પણ જળવાઈ રહેશે અને દુર્ગંધ પણ નહીં આવે.

વોશરૂમમાં ધોવાના કપડાં ના રાખો :
ઘણા લોકો ધોવાના કપડાં વોશરૂમની અંદર જ ભેગા કરે છે. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા બંનેની દૃષ્ટિએ આ યોગ્ય નથી. પહેરેલા કપડાંમાં રહેલા કીટાણુઓ તેમાંથી દુર્ગંધ પેદા આવે છે અને જો ગંદા કપડાને લાંબા સમય સુધી ધોવામાં ના આવે તો તેમાંથી ગંદી વાસ આવે છે. જો તમે 2 દિવસ પછી કપડાં ધોવાના હોય તો, જ્યાં સૂર્યપ્રકાશ આવે ત્યાં રાખો.

બાથરૂમ એસેસરીઝની સફાઈ જરૂરી છે : વૉશરૂમના ફર્શ અને દિવાલની સાથે એ ખૂબ જ જરૂરી છે કે ત્યાં રાખવામાં આવેલી વસ્તુઓને પણ અઠવાડિયામાં એક વખત સાફ કરવી જોઈએ. કેટલીકવાર આ એક્સેસરીઝમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે તેમાં રોગ પેદા કરતા મચ્છર પેદા થઇ શકે છે. વોશરૂમમાં આવતી ગંદી દુર્ગંધથી છુટકારો મેળવવાની ટિપ્સ તમને જરૂર ગમી હશે. આવી જ જીવનશૈલી સંબંધિત ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા