how to use aloe vera gel for face wrinkles
image credit - freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચહેરા પર કરચલીઓ થવી સામાન્ય વાત છે, પરંતુ જો સમય પહેલા જ તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે તો તમે વહેલા ઘરડા દેખાઈ શકો છો ? આજકાલની આ ભાગદોડ ભરેલી લાઈફને કારણે ત્વચા પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

જો તમારો ચહેરો ઉંમર પહેલા જ કરચલીઓથી ભરેલો હોય તો તમારે તેના માટે ઉપાયો અપનાવવા જોઈએ. જો તમે પણ તે મહિલાઓમાંથી એક છો જે કુદરતી રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવાનું પસંદ કરે છે, તો તમારે કેટલાક ઘરેલું ઉપચાર અવશ્ય અપનાવવા જોઈએ.

આ સમસ્યાને ઓછી કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. શું તમે જાણવા માગો છો કે કુંવારપાઠાનો ઉપયોગ કેવી રીતે કરવો તો આ લેખને અંત સુધી વાંચો.

કરચલીઓ પડવાના કારણો : ધૂમ્રપાન માત્ર સ્વાસ્થ્ય પર જ ખરાબ અસર નથી પરંતુ તેની અસર આપણી ત્વચા પર પણ પડે છે. જે લોકો ધૂમ્રપાન કરે છે તેમના ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. એટલા માટે ધૂમ્રપાન ન કરવું જોઈએ.

વધુ પડતી ચિંતાને કારણે ન માત્ર સ્વાસ્થ્ય બગડે છે, પરંતુ તેના કારણે ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. જો તમને પૂરતી ઉંઘ નથી આવતી તો તેનાથી પણ તમારી ત્વચા પર કરચલીઓ પણ પડી શકે છે. કેટલીક ખાવાની ખરાબ આદતોને કારણે પણ કરચલીઓ પડી જાય છે.

એલોવેરા જેલના ફાયદા : એલોવેરાનો ઉપયોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવા માટે જ નથી થતો પરંતુ તે ત્વચાની સુંદરતામાં પણ વધારો કરવા માટે થાય છે. ત્વચામાં કોલેજનની ઉણપને કારણે કરચલીઓ પડે છે. આવી સ્થિતિમાં જો તમે ત્વચા પર એલોવેરા લગાવો તો ફાયદો થશે. ઘણા સંશોધનો મુજબ એલોવેરા જેલનો ઉપયોગ ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધારવા માટે કરી શકાય છે.

એલોવેરા જેલ કેવી રીતે બનાવવી : જો તમે ઇચ્છો છો કે એલોવેરા જેલ ઝડપથી અસર બતાવે, તો બજારમાં મળતી પ્રોડક્ટ ખરીદશો નહીં. તમે ઘરે એલોવેરા જેલ બનાવી શકો છો. આ માટે તમારે ફક્ત એલોવેરા છોડની જરૂર છે. તેને છરીથી એલોવેરાને છોલી લો. પછી તેની જેલ કાઢીને એક બાઉલમાં રાખો. તેને મિક્સરમાં ઝીણી પેસ્ટ બનાવી લો. લો તમારું તાજી એલોવેરા જેલ તૈયાર છે.

કેવી રીતે ઉપયોગ કરવો : એલોવેરા જેલ લગાવતા પહેલા ત્વચાને સાફ કરો અને સ્વચ્છ ટુવાલ વડે મોં લૂછી લો. તમારા હાથને પણ સારી રીતે ધોઈ લો. હવે તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવો અને આંગળીઓથી ચહેરા પર મસાજ કરો. એલોવેરાને ત્વચા પર લાંબા સમય સુધી ન છોડો. તે ત્વચાને શુષ્ક બનાવી શકે છે. રોજ એલોવેરા લગાવવાથી કરચલીઓ ઓછી થશે.

આ બાબતો ધ્યાનમાં રાખો : વધતી ઉંમર સાથે ત્વચા શુષ્ક થઈ જાય છે, જેના કારણે કરચલીઓ પડવા લાગે છે. કરચલીઓ ઓછી કરવા માટે, તમારે તમારી ત્વચાને મોઈશ્ચરાઈસ કરવું જોઈએ. શરીરની સાથે ત્વચાને પણ હાઈડ્રેટેડ રાખવી જોઈએ.

આ માટે તમે હોમમેઇડ માસ્કનો ઉપયોગ કરી શકો છો. કાકડીને ત્વચા પર લગાવવાથી પણ તમને ઘણો ફાયદો થાય છે. તો આ રીતે તમે પણ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આશા છે કે તમને માહિતી ગમી હશે. જો ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા