તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે ખાસ પ્રસંગોમાં મીઠાઈ વહેંચવાની આપણી ત્યાં પરંપરા છે. તમે કોઈના ઘરે જાઓ કે કોઈ તમારા ઘરે આવે, તહેવારો પર કોઈ કોઈના ઘરે મીઠાઈ વગર જતું નથી. બજાર મીઠાઈઓથી ભરેલું છે, પરંતુ સોન પાપડી, કાજુ કતરી, ગુલાબ જામુન, ચમચમ વગેરે કેટલીક એવી મીઠાઈઓ છે જે ખૂબ જ સામાન્ય બની ગઈ છે.
હવે જયારે, શક્કરપારા કોઈને આપી શકાય નહિ કારણ કે, તે સામાન્ય મીઠાઈ લાગે છે. હવે તમે મામૂલી મીઠાઈ લઈને કોઈની પાસે જશો નહીં અને આ દિવસોમાં મીઠાઈના ભાવ પણ એટલા વધી ગયા છે કે કંઈ કહી શકાય નહીં. આ સાથે મીઠાઈમાં ભેળસેળ પણ સામાન્ય બની ગઈ છે. પરંતુ જો અમે તમને આવી મીઠાઈ વિશે જણાવીએ, જે રોયલ પણ લાગશે અને ઘરે પણ બની જશે, તો તમે શું કહેશો?
તમે જાણીતા શેફ અજય ચોપરા વિશે પણ જાણતા હશો. શેફ અજય સોશિયલ મીડિયા પર તેના દર્શકો સાથે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ શેર કરે છે. હવે દિવાળી નજીક છે ત્યારે શેફ એ ખજૂર શકરપારેની રેસીપી શેર કરી છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો. જો તમે હજી સુધી તેની રેસીપી જોઈ નથી, તો આ લેખમાં તમે તેને કેવી રીતે બનાવવી તે વિગતવાર જાણી શકો છો.
સામગ્રી
- મૈંદા લોટ 2 કપ
- ખાંડ પાવડર 1 કપ
- નાળિયેરનો લોટ ¼ કપ
- ઘી ⅓ કપ
- વરિયાળી પાવડર 1 ચમચી
- લીલી એલચી પાવડર ½ ચમચી
- ખાવાનો સોડા ½ ચમચી
- પાણી અને દૂધ ¼ કપ
- સમારેલા કાજુ 1 ચમચી
- સમારેલા પિસ્તા 1 ચમચી
- તળવા માટે તેલ
ખજુર શકરપારા બનાવવાની રીત-
View this post on Instagram
સૌપ્રથમ લોટ તૈયાર કરો. આ માટે એક મિક્સિંગ બાઉલમાં મૈંદા લોટ, દળેલી ખાંડ, સૂકું નાળિયેર, વરિયાળી પાવડર, લીલી ઈલાયચી પાવડર, ખાવાનો સોડા, ઝીણા સમારેલા કાજુ અને ઝીણા સમારેલા પિસ્તા નાખીને મિક્સ કરો. આમાં બેકિંગ સોડાનો સમાવેશ એટલે કરવામાં આવશે કારણ કે તે રેસીપીમાં ક્રંચ ઉમેરશે. બધું મિક્સ કર્યા પછી, આ સૂકા મિશ્રણમાં ઘી ઉમેરો. હવે તમારા હાથ પર લોટને સારી રીતે ઘસો. ધ્યાન રાખો કે તેનું ટેક્સચર થોડું બ્રેડક્રમ્સ જેવું હશે.
એક ગ્લાસ અથવા નાના બાઉલમાં સમાન માત્રામાં દૂધ અને પાણી મિક્સ કરો અને ધીમે ધીમે ઉમેરો અને લોટ બાંધો. કણક સ્મૂથ પરંતુ કઠણ હોવું જોઈએ. આપણે કણકને વધુ ગૂંથવાની જરૂર નથી, કારણ કે તે તેનાથી તે ફેક્સીબલ થઇ જશે. આ પછી, લોટને ભીના કપડાથી ઢાંકીને લગભગ 5-10 મિનિટ માટે રાખો.
હવે લોટનો એક મોટો બોલ લો અને તેને ઘટ્ટ રોલ કરો. તેને બંને બાજુથી આંગળીઓ વડે ટેપ કરીને નળાકાર આકાર આપો. આ પછી, તેને કાપવા માટે ધારદાર છરીનો ઉપયોગ કરો. હવે કાપેલા કરેલા દરેક શક્કરપરાના ટુકડાને લો અને તમારી આંગળી વડે મધ્યમાં હળવેથી દબાવો જેથી બોટ જેવો આકાર બનાવો. આ શકરપારાને તળતી વખતે તેનો આકાર જાળવી રાખવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ નાળિયેર બરફી બનાવવાની રીત
- બાકીના કણકને રોલ કરીને અને તે જ રીતે તેના ટુકડા કરીને તૈયાર કરો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. આંચ મધ્યમ હોવી જોઈએ અને તેલ વધારે ગરમ ન હોવું જોઈએ.
- એકવાર તેલ ગરમ થઈ જાય પછી, ખૂબ જ ધીમે ધીમે ટુકડાઓ ઉમેરો અને તેમને ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થવા દો.
- તળેલા શકરપરાને સ્ટ્રેનરની મદદથી તેલમાંથી કાઢી લો. પછી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.
આ સ્વાદિષ્ટ ખજુર શકરપારાને ચા સાથે અથવા તહેવારોના પ્રસંગોએ સર્વ કરો. શેફના મતે જો તેને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો ઘણા દિવસો સુધી તેનો આનંદ માણી શકાય છે.