kida makoda door karavana upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડું કેટલું સ્વચ્છ કર્યું છે પરંતુ આ શું છે? રસોડાના કબાટમાંથી કીડા નીકળે છે? બીજી બાજુ સ્ટોર રૂમમાં પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. હવે હું આ નાના જંતુઓથી કંટાળી ગઈ છું. તે અહિયાંથી રસોડામાંથી જવાનું નામ જ નથી લેતા. કીડાઓ જ્યાં પણ તેલ વાળી જગ્યા જોવે છે તે તારાજ જ તેમનું ઘર બનાવી લે છે.

ખાસ કરીને રસોડાના કબાટ અને સ્ટોર રૂમમાં વધારે કીડા મકોડાઓ જોવા મળે છે. જો તમે પણ રસોડાના કબાટ અને સ્ટોર રૂમમાં હાજર નાના-નાના જીવજંતુઓથી પરેશાન થઇ રહયા છો, તો તમે સરળતાથી તેમાંથી છૂટકારો મેળવી શકો છો. કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તેને હંમેશા માટે દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપાયો વિશે.

લવિંગ : મસાલા તરીકે ઉપયોગ માં લેવામાં આવતા લવિંગ પણ આ કિસ્સામાં નંબર વન ઘરેલું ઉપાય છે. તેની તીવ્ર અને તીખી ગંધને કારણે વંદોઓથી લઈને નાના જીવજંતુઓ અને કીડા મકાઓ પણ ભાગી જાય છે. જો કે તેને ઉભા રાખવાનો કોઈ ફાયદો થતો નથી.

તેથી તમારે તેના પાવડરનો ઉપયોગ કરવાનો છે. તેના પાવડરને પાણીમાં ભેળવીને એક મિશ્રણ તૈયાર કરો અને તેને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને તેને રસોડાના કબાટ અને સ્ટોર રૂમમાં છાંટો. જંતુઓ અને કીડી મકોડા તેની તીવ્ર ગંધથી ભાગી જશે.

કપૂર : લગભગ દરેક ભારતીય ઘરોમાં પૂજાના ઘરમાં તે ચોક્કસ વપરાય છે. તેના ઉપયોગથી તમે કબાટ અથવા સ્ટોર રૂમમાં હાજર કોઈપણ જંતુઓને હંમેશા માટે દૂર કરી શકો છો. આ માટે તમે કપૂરનો પાવડર બનાવી લો.

આ પછી આ પાવડરમાં એકથી બે ચમચી લવંડર તેલ મિક્સ કરીને આ મિશ્રણને અલમારી અને સ્ટોર રૂમમાં છાંટો અથવા આ મિશ્રણમાં રૂ પલાળી દો. જંતુઓ તેની તીવ્ર ગંધથી ભાગી જશે.

કેરોસીન : આ ઉપાયમાં તમારે કેરોસીન સિવાય બીજી કંઈ પણ કૅસ્ટને મિક્સ કરવાની જરૂર નથી. તમે માત્ર કેરોસીન તેલનો ઉપયોગ કરીને જંતુઓ અને જીવાતોને ભગાડી શકો છો. જો કે તેનો ઉપયોગ કર્યા પછી તમે પણ થોડા સમય માટે તેની ગંધથી પરેશાન થઈ શકો છો,

પરંતુ તેનો ઉપયોગ તમને કબાટ અને સ્ટોર રૂમમાં રહેલા કીડાઓને દૂર કરવા માટે મદદ કરશે. આ માટે કપાસને કેરોસીનમાં પલાળીને તેને તે જગ્યાએ રાખો.

બોરેક્સ : જો કે તમારે તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. પરંતુ રસોડાના કબાટ અને સ્ટોર રૂમમાં હાજર કોઈપણ જંતુઓથી છુટકારો મેળવવાનો એક સારો ઉપાય છે. તેના પાવડરને ગરમ પાણીમાં ભેળવીને એક સોલ્યુશન તૈયાર કરો અને તેને જ્યાં પણ કીડી મકોડા, જીવજંતુઓનો વધારે ઉપદ્રવ હોય ત્યાં દરેક જગ્યાએ છંટકાવ કરો.

તેના તીવ્ર ગંધથી જંતુઓ થોડા જ સમયમાં ભાગી જશે. પરંતુ ધ્યાનમાં રાખો જ્યારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે બાળકોને તેનાથી દૂર રાખો. આ જ રીતે તમે તજ પાવડર અને ખાવાનો સોડા વગેરેનો ઉપયોગ, ઘરની બીજી કોઈપણ જગ્યાએથી જંતુઓને દૂર કરવા માટે કરી શકો છો.

તેના ઉપયોગથી જીવ જંતુઓ પણ દૂર થઈ જાય છે અને તેની કોઈ આડઅસર પણ નથી. જો તમને આ મહૈતી પસંદ આવી હોય તો આવી જ બીજી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા