પહેલાના જમાનામાં આપણા પૂર્વજો માટી અને લોખંડના વાસણોમાં જ ખોરાક તૈયાર કરતા હતા. પ્રાચીન સમયમાં જેઓ થોડા અમીર હતા તેમની પાસે પિત્તળ અને ચાંદીના વાસણો હતા. ત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ થતો ન હતો. કારણ કે લોખંડ અને માટીના વાસણોમાં બનતા ખોરાકમાં ટેફલોન હોતું નથી.
પરંતુ ધીમે ધીમે જેમ જેમ જમાનો બદલાતો ગયો તેમ તેમ આ બધા વાસણો પાછળ રહી ગયા અને આજે દરેકના ઘરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણો આવી ગયા છે. જેના કારણે લોકો દરરોજ થોડી થોડી માત્રામાં ટેફલોન નામના ઝેરનું સેવન કરી રહ્યા છે.
માટી અને લોખંડના વાસણો : આ વાસણોમાં બનાવવામાં આવતો ખોરાક સ્વાદિષ્ટ હોય છે અને આપણે આપણા શરીરમાં ટેફલોન જેવા ઝેરની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ જ વાતને કોચીના રાધિકા મેનન અને પ્રિયા દીપકને આશ્ચર્યમાં નાખી દીધા. આ પછી તેમને જૂની પરંપરાઓ અને ભોજન બનાવવાની જૂની રીત પાછી લાવવાનો નિર્ણય કર્યો. જે પછી તેમને ‘ધ વિલેજ ફેર નેચરલ કુકવેયર’ ની સ્થાપના કરી.
આ વાસણોમાંથી સરળતાથી મળી રહે છે આયર્ન : જો તમે લોખંડના વાસણોમાં જમવાનું બનાવી રહ્યા હોવ તો તમારા ભોજનમાં આયર્નની થોડી માત્રા આવે છે અને તે ખાવાથી તમારા શરીરમાં પણ જાય છે. ઘણા સંશોધનોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કાચો ખોરાક લોખંડની કડાઈ અને બિન-લોખંડના કડાઈમાં બનાવવામાં આવે છે તો તે બંનેમાં તફાવત છે.
વિલેજ ફેયરની આ પોસ્ટે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઘણા પૂછે છે અને વિચારે છે કે આપણા પૂર્વજોએ પેઢીઓથી કાચા લોખંડના વાસણોમાં ખોરાક કેવી રીતે રાંધ્યો હતો. તેથી જ આ બંને મહિલાઓ કોચીમાં ગામડે ગામડે જઈને લોકોને માટી અને લોખંડના વાસણોમાં ભોજન બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, કારણ કે ગામના ગરીબ ખેડૂતોમાં આયર્ન અને જરૂરી પોષક તત્વોનો અભાવ હોય છે.
આ પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે તેમની પાસે જરૂરી ફળો અને શાકભાજી ખરીદવાના પૈસા પણ નથી હોતા. તો આવી સ્થિતિમાં આ બંને મહિલાઓ તેમને લોખંડની કઢાઈમાં ભોજન રાંધીને ખાવાની સલાહ આપી રહી છે.
ફિશ પ્રોજેક્ટ છે શું તો, કેનેડાના એક યુવાન ડોક્ટર ક્રિસ્ટોફર ચાર્લ્સે આ આધારે લકી આયર્ન ફિશ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેમને કંબોડિયાની મુલાકાત દરમિયાન જોયું કે ત્યાંના ગરીબ લોકો આયર્નની ઉણપથી પીડાઈ રહયા છે. કારણ કે તેમના આહારમાં પૌષ્ટિક શાકભાજી અને ફળો નહોતા.
આ લોકોની આયર્નની ગોળીઓ ખરીદવાની પણ ક્ષમતા નહોતી, આ સિવાય દરેક વ્યક્તિ માટે આ ગોળીઓની આડઅસર સહન કરવી પણ શક્ય નથી. તેથી ચાર્લ્સે લોકોમાં લોખંડની નાની નાની માછલીઓ વહેંચી અને તેમને રસોઈ કરતી વખતે આ માછલીઓને વાસણમાં મૂકવાની સલાહ આપી. તેમને કહ્યું કે આ લોખંડના વાસણમાં ખોરાક રાંધવા જેવી જ અસર કરે છે.
પરંતુ લોખંડની કડાઈમાં રસોઈ બનાવતી વખતે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. લોખંડના વાસણોમાં ક્યારેય ખાટી વસ્તુઓ ના બનાવવી જોઈએ. જો તમે કોઈ ખાટુ શાક બનાવતા હોવ તો તેને માટીના વાસણમાં બનાવી શકો છો. લાંબો સમય સુધી ખોરાક ના રાખવો જોઈએ, ગેસ પરથી ઉતર્યા પછી લોખંડના વાસણમાંથી શાક કાઢીને બીજા વાસણમાં રાખવું જોઈએ.
માટીના વાસણો : ભાત રાંધતી વખતે અને ખાવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરો. તેમાં કોઈ શંકા નથી કે માટીના વાસણમાં બનતો ખોરાક બીજા ધાતુ કરતાં આરોગ્યપ્રદ હોય છે. પરંતુ માટીકામની વધતી જતી માંગને કારણે આજકાલ બજારમાં ચમકદાર ગ્લેટ કરેલા ફેશનમાં આવી ગયા છે.
તમારે તેનાથી બચવું જોઈએ કારણ કે તેમના પર ગ્લેઝ અથવા ચમક લાવવા માટે સીસા જેવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. રસોઈ બનાવવા માટે કુંભાર પાસેથી માટીના વાસણો ખરીદો અને તેનો જ ઉપયોગ કરો.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમે આ માહિતી ને બીજા સુધી જરૂરથી પહોંચાડો. આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી, કિચનટીપ્સ અને રેસિપી માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.