najar lage to shu karvu
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

સદીઓથી મીઠાનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. એવું પણ કહી શકાય કે ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો છે. રસોઈમાં સ્વાદ વધારવાની સાથે સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ જ્યારે વાસ્તુ અથવા જ્યોતિષની વાત આવે ત્યારે મીઠું એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેનો ઉપયોગ ઘરની ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે મીઠું તમારા ઘરમાંથી તમામ નકારાત્મક શક્તિઓને દૂર કરવાની સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

ઘણી વખત ઘરમાં પૈસાને લઈને અનેક મુશ્કેલીઓ આવવા લાગે છે અને પૈસા નકામા કામોમાં ખર્ચવા લાગે છે. આટલું જ નહીં, ક્યારેક મીઠાના યોગ્ય ઉપયોગ કરીને ઘરની અંદરની ખરાબ નજરને પણ દૂર કરી શકાય છે.

આ લેખમાં અમે તમને જણાવી રહયા છીએ કે તમે મીઠાના પાણીના કેટલાક ઉપાયો કરીને તમે તમારા જીવનમાં ધનનો સંચાર કરી શકો છો અને બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે.

ધન લાભ માટે મીઠા પાણીનો ઉપાય 

ઘણી વાર એવું બને છે કે ઘરમાં કોઈ કારણ વગર પૈસાની અછત થવા લાગે છે અને અચાનક તમારી આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે છે. આવી સ્થિતિમાં, એક ગ્લાસ લો, તેમાં પાણી ભરો અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખો.

જ્યારે પણ આ ગ્લાસનું પાણી સુકાઈ જાય ત્યારે તેને સારી રીતે સાફ કરી લો અને ફરીથી તેમાં મીઠાવાળું પાણી બનાવીને રાખો. તમે દર મંગળવાર કે રવિવારે આ ઉપાય કરો. આ ઉપાયથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને ઘરના ઝઘડા પણ ઓછા થવા લાગશે.

દેવાથી મુક્તિ મેળવવા અને સંપત્તિ વધારવાના ઉપાય

જો તમારા ઘરમાં ઘણું દેવું છે અને તમે તેનાથી છૂટકારો મેળવવાના ઉપાયો શોધી રહ્યા છો તો દર રવિવારે મીઠાના પાણીથી પોતું કરો. ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી આ ઉપાય કરવાથી તમને સૌથી મોટા દેવામાંથી મુક્તિ મળશે અને પૈસા વધશે.

જો તમે પાણીમાં સફેદ મીઠાના બદલે સેંધા મીઠુનો પણ ઉપયોગ કરો છો તો તે તમારા માટે વધુ ફળદાયી માનવામાં આવે છે. આ એક ઉપાયથી તમારા માટે કીર્તિ, ધન અને માન-સન્માનનું યોગ બનાવે છે.

નકારાત્મક ઉર્જા દૂર કરવાની રીત

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે તો તેને તરત દૂર કરવા માટે, એક ગ્લાસમાં પાણીમાં 2 ચમચી મીઠું નાખો. આ પાણીને બાથરૂમના કોઈ ખૂણામાં રાખો. દર ત્રીજા દિવસે આ પાણી બદલો અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરો.

આ ઉપાય તમારા ઘરની તમામ અવરોધો દૂર કરશે અને ઘરમાં રહેલી કોઈપણ નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવામાં મદદ કરશે. જો તમારા ઘરમાં નાના બાળકો છે અને તેમને વારંવાર ખરાબ નજર લાગી જાય છે તો તમારે અઠવાડિયામાં એકવાર બાળકોને મીઠાના પાણીથી નવડાવવું જોઈએ.

આ માટે નહાવાના પાણીમાં એક ચપટી સેંધા મીઠું નાખો. આ ઉપાય કરવાથી બાળકોને ખરાબ નજર નહીં લાગે. જો બાળકને નજહ લાગે છે તો, તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તેને બાળકના માથા પર 7 વાર ફેરવી લો. આ ઉપાયથી ખરાબ નજર તરત જ દૂર થઇ જશે.

તમે પણ મીઠાના પાણીના આ ખાસ જ્યોતિષીય ઉપાયો અજમાવીને તમે જીવનમાં ખુશીઓ મેળવી શકો છો અને ધન લાભ મેળવી શકો છો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા