pawanmuktasana in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ એક વિશેષ યોગ મુદ્રા છે જેનો મુખ્ય ધ્યેય દબાણથી શરીરમાંથી હવાને બહાર કાઢવાનો હોય છે. પવનમુક્તાસન પેટના ગેસને દૂર કરવાની સાથે કરોડરજ્જુ અને ગરદનના હાડકાં માટે ફાયદાકારક છે. તેનું નામ બે સંસ્કૃત શબ્દો “પવન” (વાયુ) અને “આસન” (મુદ્રા) પરથી ઉતરી આવ્યું છે.

પવનમુક્તાસનના ફાયદા : જો પવનમુક્તાસન યોગ આસન યોગ્ય ટેકનિકથી કરવામાં આવે અને કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી તમને અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

1. પવનમુક્તાસન પેટનો ગેસ દૂર કરે છે : પવનમુક્તાસન યોગાસન પેટના ગેસને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જે લોકોને પેટ ફૂલવું, વારંવાર ગેસ થવો અથવા પેટમાં દુખાવો થવો જેવી સમસ્યાઓ હોય તેમના માટે પવનમુક્તાસન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

2. પવનમુક્તાસન પીઠ અને ગરદનમાં લવચીકતા લાવે છે : પવનમુક્તાસનની નિયમિત પ્રેક્ટિસ કરવાથી કરોડરજ્જુ અને ગરદનના હાડકામાં લવચીકતા આવે છે તેમજ ત્યાંના સ્નાયુઓ ખેંચાય છે જેના કારણે આ ભાગોમાં અકડન જેવી કોઈ સમસ્યા રહેતી નથી.

3. પીઠનો દુખાવો ઓછો કરવા પવનમુક્તાસન : પવનમુક્તાસન પણ અસરકારક રીતે પીઠના નીચેના ભાગને સ્ટ્રેચ કરે છે જે પીઠનો દુખાવો અને તેના સબંધિત બીજી સમસ્યાઓને મટાડે છે.

4. પેટના અને પેલ્વિક અંગોને ઉત્તેજીત કરે છે પવનમુક્તાસન : પવનમુક્તાસનની યોગ્ય પદ્ધતિ અને નિયમિત પ્રેક્ટિસ કરવાથી પેટમાં હાજર અંગો ઉત્તેજિત થાય છે અને સક્રિય રીતે કામ કરવાનું શરૂ કરે છે. પવનમુક્તાસન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાત પણ દૂર થાય છે.

જો કે, પવનમુક્તાસનથી મેળવી શકાતા સ્વાસ્થ્ય લાભો મોટાભાગે યોગાસનની પદ્ધતિ અને તેને કરનાર વ્યક્તિની સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે. પવનમુક્તાસન જો તમે પહેલીવાર પવનમુક્તાસનની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા હોય તો નીચે આપેલા સ્ટેપની મદદથી તમે આ આસન કરી શકો છો.

સૌ પ્રથમ, સપાટ જમીન પર મેટ અથવા ધાબળો પાથળીને તેના પર તમે તમારી પીઠ પર સૂઈ જાઓ. હવે ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતી વખતે જમણો ઘૂંટણ વાળો અને તેને છાતી સુધી લાવો. એ જ રીતે ડાબા ઘૂંટણને પણ છાતીની નજીક લાવો.

હવે બંને હાથને ગૂંઠણથી નીચે ભાગ પર પિંડલીની બરાબર રાખો. આ પછી ગરદન ઉંચી કરો અને મોં ને ઘૂંટણ સાથે સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. હવે હાથના જોરથી જાંઘનું બધું દબાણ પેટ પર પડવા દો.

તમે તમારી ક્ષમતા મુજબ કેટલા સમય સુધી આ યોગ મુદ્રામાં રહેવું તે આધાર રાખે છે અને પછી ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવી શકો છો. જો તમને આ યોગ પોઝ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો અનુભવી યોગ નિષ્ણાતનો સંપર્ક કરો.

પવનમુક્તાસન દરમિયાન સાવચેતીઓ : પવનમુક્તાસન કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. યોગ શરૂ કરતા પહેલા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જરૂર કરો અને વોર્મ અપ કરો. યોગ કરતી વખતે ગરદન પર વધારે જોર ના આપવું .

ઘૂંટણને ઉપર ઉઠવતી વખતે મોંને વધુ આગળ લાવવાનો પ્રયાસ કરશો નહીં. કોઈપણ ક્રિયા કરવા માટે વધુ પ્રેશર કરશો નહીં. તો ચાલો હવે જાણીએ કે પવનમુક્તાસન ક્યારે ન કરવું જોઈએ. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જેમાં તમારે પવનમુક્તાસન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

શરીરના કોઈપણ ભાગમાં ગંભીર પીડા અથવા ઈજા થયેલી હોય તો ના કરવું જોઈએ. બ્લડ પ્રેશર અથવા હૃદય રોગ હોય તેમને પણ ડોક્ટરને પૂછીને કરવું જોઈએ. થાક અથવા નબળાઇ, માસિક સ્રાવ અથવા ગર્ભાવસ્થામાં પણ ડોક્ટરને પૂછીને કરવું જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા