shahi paneer masala powder recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

એક ઘરમાં લગભગ 9 વાગે ઘરના બધા વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય છે કે : ‘મમ્મી, આજે જમવામાં શું બનાવવાનું છે? તો એકસાથે ઘણા જવાબો આવે છે – કેટલાક કહે છે પાલક પનીર અને રોટલી, કોફ્તા અને ભાત, વેજ મંચુરિયન અને કેટલાક કહે છે શાહી પનીર અને ભાત વગેરે વગેરે.

ઘરના બધા સભ્યો વચ્ચે લગભગ 15 મિનિટ પછી નક્કી થયું કે આજે ડિનરમાં શાહી પનીર, રોટલી અને સલાડ બનશે. મમ્મીનો જવાબ આવે છે – ઠીક છે! ચાલો બનાવું છું. મામી જેવી રસોડામાં જાય છે અને ત્યાં જુએ છે કે ત્યાં શાહી પનીરનો મસાલાનો પાવડર નથી અને બજારની બધી દુકાનો પણ બંધ છે.

આવી સ્થિતિમાં શાહી પનીર બનાવવાનું પ્લાનિંગ કેન્સલ કરવામાં આવે છે અને રાત્રે જમવામાં રોટલી અને બટેટાનું શાક બનાવવામાં આવે છે. કદાચ, આવી સ્ટોરી તમારી સાથે એક દિવસ એવું બન્યું હશે કે તમે શાહી પનીર બનાવવા જઈ રહ્યા છો અને ઘરે શાહી પનીર માટે મસાલો જ નથી.

તો આવી સ્થિતિમાં જો તમે પણ ઘરે શાહી પનીરનો મસાલો બનાવવા માંગતા હોય તો આ લેખ વાંચવો જોઈએ. કારણ કે અમે તમને રસોડાની કેટલીક સરસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને તમે સરળતાથી ઘરે જ શાહી પનીરનો મસાલા પાવડર બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ રેસિપી વિશે.

શાહી પનીર મસાલા માટેની સામગ્રી : શાહી પનીર ભારત સિવાય પણ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ભારતમાં લગભગ દરેક ખાસ પ્રસંગે મહેમાનો માટે શાહી પનીર પિરસવામાં આવે છે.

શાહી પનીરને સૌથી વધારે દિલ્હી, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે શહેરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઘરે શાહી પનીર બનાવવા માંગો છો અને રસોડામાં શાહી પનીર મસાલો નથી તો તમારે બજારમાં જવાની કોઈ જરૂર નથી, તમે ઘરે જ બનાવી શકો છો.

સામગ્રી

  • લાલ મરચું 10
  • નાની ઈલાયચી 5-7
  • લવિંગ 8-9
  • જીરું 1 મોટી ચમચી
  • મોટી ઈલાયચી 9
  • તજ 3-4
  • ધાણા બીજ 3 ચમચી
  • ચક્ર ફૂલ 2
  • જાયફળ એક ઇંચ
  • ટામેટા પાવડર 1 ચમચી
  • કાળા મરી 10-12

શાહી પનીર મસાલાનો પાવડર બનાવવાની પહેલી રીત

સૌથી પહેલા શાહી પનીર મસાલાનો પાવડર બનાવવા માટે ટામેટાંને સૂકવીને પાવડર બનાવી લો. જો તમારી પાસે ટામેટાંનો પાઉડર ના હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ પછી એક કઢાઈને ગેસ પર મૂકીને ગરમ કરો.

જ્યારે કઢાઈ ગરમ થઈ જાય એટલે તેમાં એક પછી એક બધા મસાલા ઉમેરીને લગભગ 10 મિનિટ સુધી સારી રીતે શેકી લો. લગભગ 10 મિનિટ સુધી બધા મસાલા શેકાઈ ગયા પછી તેને થોડી વાર ઠંડા થવા માટે રાખો. શેકેલા મસાલા ઠંડા થઇ જાય એટલે તેને મિક્સર જારમાં નાખીને તેને બારીક પીસી લો અને એક પ્લેટમાં કાઢી લો. તો તૈયાર છે શાહી પનીર મસાલા પાવડર.

શાહી પનીર મસાલા પાવડર બનાવવાની બીજી રીત

એક નાના વાસણમાં બધા મસાલા રાખો. હવે માઇક્રોવેવને લગભગ 150 ડિગ્રીની પ્રી-હીટ પર ગરમ કરો અને મસાલાવાળી પ્લેટને અંદર મૂકો અને લગભગ 5 મિનિટ સુધી શેકવા દો. લગભગ 5 મિનિટ પછી માઇક્રોવેવને બંધ કરો અને મસાલાને એકવાર હલાવો અને બીજી 5 મિનિટ માટે ફરીથી શેકવા માટે મુકો.

શેક્યા પછી તેને થોડી વાર માટે ઠંડુ થવા દો અને જ્યારે મસાલો ઠંડો થઈ જાય ત્યારે તેને એક મિક્સર જારમાં નાખીને બારીક પીસીને પાવડર બનાવી લો.તો તૈયાર છે શાહી પનીર મસાલા પાવડર.

શાહી પનીર મસાલા પાવડર આ રીતે સ્ટોર કરો : બજારમાંથી લાવેલા મસાલા કરતા ઘરે તૈયાર કરવામાં આવેલા શાહી પનીરનો મસાલા પાવડરને એક નહીં પરંતુ ઘણા દિવસો સુધી સરળતાથી સ્ટોર કરી શકાય છે.

શાહી પનીર મસાલા સ્ટોર કરવા માટે તમારે હંમેશા ફક્ત કાચની બરણી અથવા એર ટાઈટ કન્ટેનરની પસંદગી કરવાની છે. શાહી પનીર મસાલાના પાવડરનો ઉપયોગ કર્યા પછી ઢાંકણને યોગ્ય રીતે બંધ કરવું જોઈએ, જો ક્યારેક ભૂલથી પણ ઢાંકણું ખુલ્લું રહી જાય છે તો મસાલા પાવડર બગડી શકે છે.

જો તમને આ શાહી પનીર મસાલા રેસિપી પસંદ આવી હોય તો બીજાને પણ જણાવો અને આવી બીજી અવનવી રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ફક્ત 2 જ મિનિટમાં ઘરે બનાવો શાહી પનીર મસાલા પાવડર, તો બજારમાંથી શું કામ ખરીદવો”

Comments are closed.