જ્યારે તમે દિવસભરની ધમાલ પછી રાત્રે પથારીમાં સુવા જાઓ ત્યારે સુઈ શકતા નથી, ત્યારે તમે ખુબ જ પરેશાન થઇ જાઓ છો કે ઊંઘ કેમ નથી આવતી. ક્યારેક થોડો અવાજ આવી જવાથી, બીજા રૂમમાંથી અવાજ આવવાથી તમને લાંબા સમય સુધી સુઈ શકતા નથી.
એક તરફ તમે ઊંઘ ન આવવાથી પરેશાન થઇ રહયા છો એન બીજી તરફ સવારે ઉઠીને ઓફિસ જવાની ચિંતા તમને ઊંઘવા નથી દેતું. આ ચિંતા પણ થવા લાગે છે કે જો સમયસર ઉંઘ નહિ આવે તો બીજા દિવસનું કામ મોડું શરૂ થશે અને તેનો તણાવ પણ આખો દિવસ આપણી ઉપર રહે છે.
આપણે બધા કોઈને કોઈ સમયે અનિદ્રાની સમસ્યાનો સામનો કર્યો જ હશે. ઓફિસના કામની ચિંતા, કોઈની સાથે કડવાશ, કેટલીક દુર્ઘટનાઓ જેવી ઘણી બધી બાબતો આપણને રાત્રે જાગતી રાખે છે. અને જો આપણે રાત્રે સારી ઊંઘ નથી લઇ શકતા તો તેની અસર બીજા દિવસે પણ જોવા મળે છે.
આ સિવાય પણ જો તમને આ સમસ્યા અઠવાડિયા સુધી અથવા લાંબા સમય સુધી રહે છે તો તેની આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. જો તમે ઈચ્છો છો કે તમને સારી ઊંઘ આવે અને તમારું જીવન ખુશહાલ રહે તો તેના માટે તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને સારી ઊંઘ મેળવી શકો છો.
1. 1 થી 2 કલાક પહેલાથી જ રીલ્સક્સ કરવાનું શરૂ કરી દો : સાંજના સમયે આવા કામ ના કરો, જેને કરવાથી તમારી એનર્જીનો ખુબ જ વધારે ઉપયોગ થતો હોય. રાત્રે સૂતા થોડી વાર પહેલા રૂમની લાઈટ ડિમ કરી દો અને જે પણ કામ બાકી હોય તેને આરામથી ડીમ લાઇટમાં જ કરો.
આ સમય દરમિયાન તમારા માટે વધુ સારું રહેશે કે તમે આવા કાર્યો કરો જે તમને રિલેક્સ આપે છે, ઉદાહરણ તરીકે તમે બુક વાંચી શકો છો, આરામદાયક મુદ્રામાં યોગ કરી શકો છો, તમારા જીવનસાથી સાથે વાત કરી શકો છો. જો તમારે દિવસના મહત્વપૂર્ણ કામોને કરવાના હોય તો તેને રિલેક્સ રીતે જ કરો.
2. ઘણા અનુભવીઓનું માનવું છે કે રાત્રે પથારી સુતા પહેલા તમારા ઇષ્ટદેવ અથવા તમે જે પણ ભગવાનમાં માનતા હોય તેમના જાપ કરવાથી તમને સારી ગ લાવવામાં મદદ કરતે છે. તેથી સુતા પહેલા 5 મિનિટ જરૂર જાપ કરો. ગરમ પાણીનું સ્નાન કરવાથી અને શાંત સંગીત સાંભળવાથી પણ ઊંઘ જલ્દી આવે છે.
3. સંશોધકો કહે છે કે સુવાના એક કલાક પહેલા મગજમાંથી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ અને ચિંતાઓને હાંકી કાઢવાથી ઊંઘ ઝડપથી આવે છે. જેમકે ખોટા વિચારો લાવે એવી ટી.વી સિરીયલને જોવાનું ઓછું કરવું જોઈએ અને રાત્રે સુતા 30 મિનિટ પહેલા મોબાઇલ ફોનને સ્વિચ ઓફ કરવો જોઈએ.
4. બપોર પછી કેફીન ન લો : કેફીન લીધા પછી તેની અસર શરીરમાં 8 થી 14 કલાક સુધી રહે છે. જો કે દરેક વ્યક્તિ પર અલગ-અલગ હોય છે, પરંતુ જો તમને ઉંઘ નથી આવતી તો તેને એક મહિના માટે કેફીન લેવાનું ટાળો. તમે જોશો કે આના કારણે તમને સારી ઊંઘ આવવા લાગશે. આ સિવાય કેફીનયુક્ત પદાર્થો જેમ કે ચોકલેટ અને ચા થી દૂર રહો. આ માટે હર્બલ ટી, હર્બલ કોફી લઈ શકો છો.
5. નાકની ડાબી બાજુથી શ્વાસ લો : અંગૂઠાથી નાકની જમણી બાજુ બંધ કરીને ડાબી બાજુથી જ ધીરેથી શ્વાસ લો. ડાબી બાજુથી શ્વાસ લેવાથી મન પર હકારાત્મક અસર પડે છે અને શરીરને આરામ મળે છે. કુડલિની યોગમાં એવું સૂચવવામાં આવ્યું છે કે જો તમે આ રીતે 26 લાંબા શ્વાસ લો છો તો તેની મગજ અને મન પર સારી અસર પડે છે. અને જો તમારું મન સ્વસ્થ હશે તો ઊંઘ પણ સારી જ આવશે.
6. ડિનરમાં ઊંઘ લાવવાવાળા ખોરાક ખાઓ : રાત્રે એવો ખોરાક ખાવા પર ધ્યાન આપો કે તે તમને સારી ઊંઘ લાવામાં મદદ કરે. રાત્રે હળવો ખોરાક ખાઓ કરશે. તમે તાજી ચેરી લઈ શકો છો અથવા તેને દહીંમાં મિક્સ કરીને ખાઈ શકો છો.
7. સમયસર લાઇટ બંધ કરો : રાત્રે સૂવાનો સમય નક્કી કરો અને દરરોજ રાત્રે તે જ સમયે સુઈ જાઓ. રાત્રે સારી ઊંઘ લેવા માટે 10 થી 2 વાગ્યા સુધીનો સમય સૌથી મહત્વપૂર્ણ છે. સમયસર પથારી સુવાની આદત બનાવો, તે તમને ગાઢ નિંદ્રા અપાવવામાં મદદ કરશે.
8. એક્યુપ્રેશર : સુવાના સમયે એક્યુપ્રેશર મેટ પર સૂઈ શકો છો. શરીરને આરામ આપવા માટે યોગ ઊંઘ સબંધિત વીડિયો જોઈ શકો છો, જેથી તમે તમારા મગજ દ્વારા તમારા શરીરના દરેક અંગને આરામ આપી શકો. આ સિવાય તમે એક્યુપંક્ચર જેવી ટેકનિક પણ અજમાવીને શરીરને રિલેક્સ કરી શકો છો.
9. કુદરતી વાતાવરણ પ્રમાણે તમારી દિનચર્યા રાખો : ધ્યાન રાખો કે તમારે દિવસમાં એકવાર તડકામાં જવું જોઈએ અને સાંજે રૂમમાં અંધારું રાખવું જોઈએ. પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય, ઘરનું કોઈ કામ છે અથવા ઓનલાઈન બિલિંગ હોય તો વગેરે કામ માટે દિવસમાં કરી નાખો. ધ્યાન રાખો કે રાત્રે આવા કામ ન કરો, કારણ કે આ કામમાં શારીરિક રીતે થાકી જવાય છે.
10. તમારું વલણ બદલો : કેટલાક લોકો અમુક વાતોથી જ તણાવમાં આવી જાય છે, તો માનસિક શાંતિ માટે તે કારણોને શોધો જે તણાવ લાવે છે અને પછી તેને દૂર કરવા માટેના પ્રયત્નો કરો. સાથે જ તમારી જાતને એવો અહેસાસ કરાવો કે હું દરેક સમસ્યામાંથી બહાર નીકળી શકું એમ છું અને તમારે આ સમયે કોઈ ટેન્શન ના લેવું જોઈએ.
11. દિવસમાં કામ કરતી વખતે વિરામ લો : તમારે દિવસ દરમિયાન ગમે તેવું કામ હોય તો પણ સમયાંતરે તેમાં વિરામ જરૂર લો. થોડા કલાકો સુધી કામ કર્યા પછી 15 મિનિટનો વિરામ જરૂર લો. આનાથી તમે દિવસભર સંપૂર્ણ તાજગી સાથે કામ કરશો અને રાતના અંત સુધીમાં તમને થાક પણ ઓછો લાગશે.
જો ઉપર જણાવેલ રીતોને અપનાવી લેશો તો તમને પણ રાત્રે સૂતાંની સાથે જ ઊંઘ આવી જશે અને તમે પણ રાત્રે થાકનો અનુભવ થશે નહિ. જો તમને આ લેખ ગમ્યો હોય તો, આવી જ બીજી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.