દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાય. આ માટે તે વિવિધ પ્રકારના ઉપાયો પણ કરે છે. પરંતુ કહેવાય છે કે સુંદરતા અંદરથી આવે છે એટલે કે ખાવાની અસર તમારા સ્વાસ્થ્યની સાથે-સાથે તમારા ચહેરા પર પણ જોવા મળે છે. તેથી તમારા આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવો ખુબ જ જરૂરી છે.
આજે અમે તમને આ લેખમાં એવા 3 સુપરફૂડ વિશે જણાવી રહ્યા છીએ જેને તમારા આહારમાં સમાવેશ કરવાથી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાશો. તમારે આખા વર્ષ દરમિયાન તમારા આહારમાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ કરવાનો છે.
આ ત્રણ વસ્તુઓ માત્ર આપણી ત્વચા માટે જ સારું નથી પરંતુ વાળ અને સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી છે. તો ચાલો જાણીએ કે આ સુપરફૂડ કયા છે અને તેમાં કયા પોષક તત્વો જોવા મળે છે અને આપણા માટે શું ફાયદા થઈ શકે છે?
લીંબુ : જો તમે સવાર સવારમાં અડધા લીંબુનો રસ પાણીમાં અથવા અંકુરિત કઠોળમાં અડધા લીંબુનો રસ લો છો તો લાંબા સમય સુધી યુવાન રહી શકો છો. જો તમે ઈચ્છો તો તેને આખા દિવસ દરમિયાન લેવામાં આવતા સલાડમાં પણ લીંબુનો રસ ઉમેરી શકો છો. લીંબુમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી હોય છે જે ત્વચા માટે ખૂબ જ સારું છે.
તેને દરરોજ લેવાથી ચહેરાના દાગ ધબ્બા પણ દૂર કરી શકાય છે. આ સિવાય લીંબુ પાણીને છેલ્લા કેટલાક સમયથી સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ચમત્કાર તરીકે ગણવામાં આવે છે, કારણ કે કેટલાક લોકો માને છે કે સવારે ખાલી પેટ તેને પીવાથી શરીરને ડિટોક્સ કરે છે અને તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ત્વચા જુવાન દેખાય છે.
અખરોટ : અખરોટ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે તેથી તેને ત્વચા માટે સુપરફૂડ કહેવામાં આવે છે. અખરોટ તમારા શરીર માટે સૌથી જરૂરી ઓમેગા-3 ચરબી પ્રદાન કરે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે અખરોટમાં તમારી ત્વચા માટે શ્રેષ્ઠ ઓમેગા-3 હોય છે.
આ ચરબી નમી અને પોષક તત્ત્વોને બંધ કરે છે જે તમારી ત્વચાના કોષ પટલને મજબૂત કરીને અને ઝેરને બહાર કાઢીને તમારી ત્વચાને એકદમ ચમકદાર રાખે છે.
આ અખરોટમાં ત્વચાને સુંદર બનાવવાના ગુણો છે. અખરોટ ત્વચાના સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે અને તેમાંથી એક ત્વચાની બળતરા ઘટાડવાનો છે. અખરોટ ત્વચા માટે સારા છે કારણ કે તે ત્વચાને પોષણ આપે છે અને મોઇશ્ચરાઇઝ કરે છે અને ખીલને લાંબા સમય સુધી અટકાવે છે.
ત્વચા માટે તેનો એક શ્રેષ્ઠ ફાયદો એ છે કે જો તમને પિમ્પલ છે અને તમને ક્લીન ચહેરો જોઈએ છે, તો આ નટ્સ ખાવાનું શરૂ કરો. આ માટે તમે દરરોજ 1 અખરોટ ખાઈ શકો છો. તે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે અને તેમાં રહેલા ઓમેગા-6 ફેટી એસિડ્સ, ઝિંક અને વિટામિન્સનો આહારમાં સમાવેશ કરવાથી ત્વચાની સાથે વાળ પણ મુલાયમ અને ચમકદાર દેખાય છે.
શક્કરિયા : લાંબા સમય સુધી યુવાન રહેવા માટે તમારે તમારા આહારમાં શક્કરીયાનો સમાવેશ કરવો જોઈએ . જો કે આ ફૂડ આખું વર્ષ ઉપલબ્ધ નથી પણ તેને સિઝનમાં તેને ખાવાથી આખા વર્ષની એનર્જી મળી શકે છે. તેમાં બીટા કેરોટીન જોવા મળે છે જે આપણા વાળ, ત્વચા અને નખને પોષણ આપે છે.
તેની સાથે તેમાં વિટામિન એ, બી, સી, ડી, ઇ, કે અને ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. આ સિવાય પણ તેમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. આપણા શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સ આપણને વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે પરંતુ જો આપણે શક્કરીયા ખાઈએ તો તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વૃદ્ધાવસ્થાને રોકવામાં મદદ કરે છે.
શક્કરિયા આપણી ત્વચાને ડેમેજ થવાથી બચાવે છે અને વાળને સ્વસ્થ રાખે છે. આ સિવાય વિટામિન સીથી ભરપૂર શક્કરીયા કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો 3 વર્ષ સુધી દરરોજ 4 મિલિગ્રામ એટલે કે લગભગ 1/2 નાનું શક્કરિયા ખાય છે તેઓની કરચલીઓ 11 ટકા ઓછી થઈ છે.
તમે પણ તમારા આહારમાં આ 3 સુપરફૂડનો સમાવેશ કરીને તમે પણ લાંબા સમય સુધી યુવાન, સુંદર અને સ્વસ્થ દેખાઈ શકો છો. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.