શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, તુલસીના પાન સુકાઈ જાય તો તેને ફેંકી દેવાને બદલે આ રીતે ઉપયોગ કરો

tulsi no upyog in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખુબ મહત્વ આપવામાં આવેલું છે. આ છોડમાં ઔષધીય ગુણોની સાથે સાથે ધાર્મિક મહત્વ પણ રહેલું છે. પુરાણોમાં આ છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં તુલસીના છોડનો દરેક કણ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી.

પછી ભલે તે તુલસીનું પાન હોય કે ડાળી હોય કે તેનું મૂળ હોય. આ બધાનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ માટે થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે ઘણા નિયમો આપવામાં આવ્યા છે અને એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરનું વાતાવરણ હંમેશા સારું જ રહે છે.

ઘણી વખત હવામાનમાં ફેરફારને કારણે અથવા યોગ્ય કાળજીના અભાવે તુલસીનો છોડ સુકાઈ જાય છે. જો કે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે તુલસીનો છોડ હંમેશા લીલો જ હોવો જોઈએ, પરંતુ આ હંમેશા લીલો રહે તે શક્ય નથી.

તો જયારે પણ તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે શું કરવું જોઈએ? લોકોને આ પ્રશ્ન વારંવાર થતો હોય છે. સામાન્ય રીતે લોકો સૂકા તુલસીના છોડને ફેંકી દેતા હોય છે પરંતુ ધાર્મિક દૃષ્ટિકોણથી તે ના કરવું જોઈએ. ખાસ કરીને જો તમારી પાસે તુલસીના સૂકા પાન હોય તો તમે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો.

શ્રી કૃષ્ણના ભોગમાં તેનો ઉપયોગ કરો : શ્રી કૃષ્ણના ભોગમાં 15 દિવસ સુધી એ જ તુલસીના પાનનો નિયમિત ઉપયોગ કરી શકાય છે અને જ્યારે આ પાન સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તમે તેને જાતે ખાઈ શકો છો. સૌ કોઈ જાણે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ભોગ તુલસી વિના ચઢાવવામાં આવતો નથી, આ કિસ્સામાં તુલસીના પાન તાજા હોય કે જૂના શ્રી કૃષ્ણને તુલસી દરેક સ્વરૂપે પ્રિય છે.

પાણીમાં તુલસીના પાન નાખો : જો તમે શ્રી કૃષ્ણના બાલ ગોપાલની સેવા કરો છો તો દેખીતી રીતે તમે તેમને નિયમિતપણે સ્નાન પણ કરાવતા હશો. આવી સ્થિતિમાં તમે લાડુગોપાલના નહાવાના પાણીમાં સૂકા તુલસીના પાન નાખી શકો છો. પછી તમારે તેમને પાણીથી સ્નાન કરાવું જોઈએ અને પછી આ પાણીનું જાતે સેવન કરવું જોઈએ.

ખાવામાં ઉપયોગ કરો : જો તમારી પાસે તુલસીના સૂકા પાન ઘણા બધા હોય તો તમારે તેનો પાવડર બનાવીને ખાવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી ખાવાનો સ્વાદ તો સારો જ બનશે અને તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ સારું રહેશે.

તમે તુલસીના સૂકા તુલસીના પાનથી આ કામ પણ કરી શકો છો : જો તમારી પાસે તુલસીના ઘણાં બધાં પાન ભેગાં થઇ ગયા છે અને તમે તેનો ઉપયોગ કરવા માંગતા નથી તો તમે આ પાંદડાને તુલસીના ગમલામાં જ દાટી શકો છો. તે ઓગળીને ખાતર બની જશે.

તુલસીના પાનને નહાવાના પાણીમાં નાખો. પરંતુ જ્યારે તમે આ પાણીથી ન્હાવા જાઓ ત્યારે તે પાંદડાને પહેલા બહાર કાઢી લો. તુલસીના પાનને પાણીમાં નાખીને સ્નાન કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

તમે તમારી પુસ્તકોની વચ્ચે તુલસીના સૂકા પાંદડા રાખી શકો છો, તેનાથી તમારું કામ સકારાત્મક રીતે પૂરું થાય છે. સૂકા તુલસીના પાનને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં અથવા પર્સમાં રાખવાથી તમને આર્થિક લાભ થાય છે.

તુલસીના પાનને ગંગાજળમાં નાખીને તે પાણીને આખા ઘરમાં છંટકાવ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તમે તુલસીના 7 સૂકા પાનને નિયમિતપણે પાણી સાથે ગળી શકો છો. તે તમારા એકન્દર સ્વાસ્થ્ય માટે પણ સારું છે. પરંતુ ધ્યાન રાખો કે તમારે તેમને ચાવવાનું નથી.

આશા છે કે તમને તુલસીના પાન માટેના આ ઉપાયો ગમ્યા જ હશે અને તમે પણ તે ઉપાયોને અપનાવી શકો છો, તેમજ આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.