udhai mate ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરના કોઈપણ ખૂણામાં ઉધઈ તેમનો વસવાટ બનાવી લે છે અને ઘણીવાર તે ઘરના ફર્નિચરમાં ઉધઈ જોવા મળી જાય છે. ઉધઈને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. આ ઉધઈ તમારા ઘર માટે ખૂબ જ ખતરનાક હોય છે કારણ કે ઉધઈ જ્યાં પણ એકવાર આવી જાય છે તે ભાગને ખોખલી કરી નાખે છે.

જો ઉધઈ તમને ક્યાંક દેખાયો જાય તો તમે તેને દૂર કરવા માટે ઉધઈની દવાનો છંટકાવ પણ કરો છો અને બીજા ઘણા ઘરેલુ ઉપાય પણ કરો છો. પરંતુ ઘણી વખત આટલું બધું કર્યા પછી પણ ઉધઈથી સરળતાથી છુટકારો મળતો નથી. તેથી આપણે માટે સૌથી સલામત રસ્તો એ છે કે આપણે ઉધઈને ઘરમાં પ્રવેશવા જ ના દઈએ. ઘરના લાકડાના ફર્નિચરને ઉધઈથી સૌથી વધુ જોખમ રહેલું છે તેથી આપણે આપણા ફર્નિચરને સુરક્ષિત રાખીએ તે જરૂરી છે.

ઉધઈના ઉપદ્રવનું સૌથી વધુ જોખમ ભેજવાળી જગ્યા હોય છે. આ સાથે જો ઉધઈ વધારે પ્રમાણમાં થઇ જાય છે તો પછી ફર્નિચરમાં પણ ફૂગ થવા લાગે છે. આ એટલા માટે છે કારણ કે ઉધઈના તેના ઘોસલામાં ખૂબ ભેજ હોય ​​છે અને તે ફૂગ તરફ દોરી શકે છે.

જો ઉધઈનો યોગ્ય સમયે દૂર કરવામાં ના આવે તો તે ઘરમાં ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. તે દિવાલોમાં પોલાણ કરી શકે છે અને તેથી તે મહત્વપૂર્ણ છે કે તેની યોગ્ય સમયે તેનાથી છુટકારો મેળવવામાં આવે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે ઉધઈને રોકવામાં મદદ કરશે.

1. ભેજને કરો દૂર : ઉધઈ હંમેશા ભેજથી આકર્ષાય છે. જો ફર્નિચર એવી જગ્યાએ હોય કે જ્યાં ભેજ વધારે હોય ​​અથવા બારી, દરવાજા કે દીવાલો પાસે ભેજવાળી જગ્યા હોય તો એવું બની શકે છે કે ઉધઈ લાગવાની શરુ થઇ શકે. ઘરમાં ભેજ વાળી જગ્યા પર ફૂગ પણ હોય છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આવી સ્થિતિમાં તેને ભેજથી દૂર રાખવું જરૂરી જોઈએ.

સૌથી પહેલા તમે ઘરના ફર્નિચર અને બારીઓ અને દરવાજા પર વુડ પોલિશ લગાવો. આમ કરવાથી ભેજ ઘટશે. પછી ફર્નિચર સાફ કરવા માટે પાણીમાં ડૂબેલા કપડાને બદલે સેનિટાઈઝર વગેરેનો ઉપયોગ કરો. ઘરમાં ક્યાંય લીકેજ ના હોવું જોઈએ અને ફર્નિચર ભીનું ના થાય તેનું ખાસ ધ્યાન રાખો.

2. સૂર્યનો તડકો : તમે ફર્નિચરને ઘરની બહારના પણ થોડીવાર માટે તડકામાં રાખી શકો છો. જો ફર્નિચરમાં ભેજ હશે તો તે સૂર્યપ્રકાશથી ઓછો થઇ જશે. સૂર્યનો તડકો ફર્નિચરને સંપૂર્ણપણે સૂકવી શકે છે. ઉધઈ હંમેશા વધુ પડતી ગરમીથી દૂર રહે છે અને જો ફર્નિચરની અંદર ઉધઈ હોય તો સૂર્યની ગરમી તે મારી જાય છે.

3. ઉધઈનો સ્પ્રે અથવા પેસ્ટ કંટ્રોલ : તે ઉધઈ માટે સારું છે જે માટી જેવી રચનાઓ બનાવીને પોતાનું ઘર બનાવે છે. ઉધઈ ઓછી હોય તો આ રીતે જતી રહેશે પરંતુ જો ત્યાં કોઈ ઉધઈ નહિ પણ હોય તો પણ તમારા ઘરની દિવાલો અને લાકડાની વસ્તુઓ પર થોડા મહિના પછી એકવાર એન્ટિ-ટર્માઈટ સ્પ્રે જરૂર કરો.

જો ઉધઈ વધુ પડતી થઈ ગઈ છે તો તમારા માટે પેસ્ટ કંટ્રોલ કરાવવું વધુ સારું રહેશે. પેસ્ટ કંટ્રોલ કર્યા પછી તમે તમારા ઘરના સામાન અને દિવાલોને થોડું સુરક્ષિત કરી શકો છો. તો આ કેટલીક ટિપ્સ હતી જેના દ્વારા તમે ઘરમાં ઉધઈને અટકાવી શકો છો.

જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય તો, તો તેને આગળ પણ મોકલો જેથી કરીને બીજા લોકોને પણ મદદ મળે. આવી જ બીજી જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ઘરના મોંઘા ફર્નિચરને ઉધઈથી બચાવવા માટેનો એકદમ અસરકારક ઘરેલુ ઉપાય, આટલું કરશો તો ક્યારેય નહિ આવે”

Comments are closed.