ઘરના કામ સાથે ઓફીસમાં કામ કરતી મહિલાઓની એક સમસ્યા એ છે કે તેમની દિવસભરની શારીરિક પ્રવૃત્તિ ઘટી ગઈ છે અને એક જગ્યાએ બેસીને બહારનો નાસ્તો ખાવાની ટેવ વધી ગઈ છે. અને તેના કારણે વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
આવી સ્થિતિમાં મહિલાઓને ઓફિસ કામની સાથે વજન વધવાનો પણ તણાવ તેમની પર હાવી થઈ જાય છે. જો તમારામાં પણ આ સ્ટ્રેસ છે તો 8 થી 9 કલાકમાં અહીંયા જણાવવામાં આવેલ ડાયટ રૂટિન સાથે આ રીતે સ્ટ્રેસ અને વજન વધવા વચ્ચે સંતુલન જાળવો. લગભગ 80 ટકા લોકો ઓફિસના કામ દરમિયાનમાં હેલ્ધી ખોરાક ખાઈ શકતા નથી.
આ ઓફિસની નજીક આવેલા ફાસ્ટ ફૂડનું દુકાન અને ઓફિસના મિત્રોને કારણે છે, જે એકબીજાને બહારનું ખાવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે જાણો કે ગઈકાલે અમે બધાએ બહારથી બપોરના ભોજનમાં બર્ગર મંગાવ્યા. ઘરેથી લાવેલું બપોરનું ટિફિન સાંજે ઘરે આવીને ખાધું.
હવે તમે જ વિચારો છે કે બપોરે જ્યારે વ્યક્તિને સૌથી વધારે ભૂખ લાગે છે, તે સમયે આપણે ફક્ત મૈદાના લોટમાંથી બનાવેલ બહારનું ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ અને પછી ખુરશીમાં બેસીએ છીએ. તમામ મૈદાના લોટમાંથી બનાવેલ આ ફાસ્ટ ફૂડ જ તમારા વજનમાં વધારો કરે છે. પછી સાંજે નાસ્તાના સમયે પણ બહારનો નાસ્તો ખાય છે. તો આજે આ લેખમાં આપણે જાણીશું કે આવા અસંતુલિત ખોરાકને કેવી રીતે સંતુલિત કરી શકાય.
લંચમાં શું ખાવું? સૌથી પહેલા આપણે એ સમજવાની જરૂર છે કે આપણે શું ખાવું જોઈએ. બપોરના સમયે જમવા માટે લાવેલા ઘરેથી બનાવેલું ટિફિન જ ખાવું જોઈએ અને તેના માટે રોટલી-શાક સારો વિકલ્પ છે. જો તમને બહારનું ખાવાની ઈચ્છા છે તો ફાસ્ટ ફૂડને બદલે રોટલી અને શાક મંગાવો. તેનાથી તમે બહારનું ખાવાનું પણ ખાઈ લેશો અને મૈંદાનો લોટ ખાવાથી પણ બચી શકશો.
સાંજનો નાસ્તો : સાંજના સમયે કોમ્પ્યુટર સામે કામ કરતી વખતે ખૂબ ભૂખ લાગી જાય છે. આ ભૂખને સંતોષવા માટે ઘરેથી લાવેલા નાસ્તા ખાઓ. તમે સાંજના સમયે વધારાની કેલરી લેવાથી બચી શકો છો. તમને વેરાઈટી પણ મળી જશે અને ભૂખ પણ શાંત થઇ જશે. નાસ્તામાં સ્પ્રાઉટ્સ, ફળો, સલાડ વગેરે ખાઈ શકો છો.
આ છે ઓફિસ માટે 10 હેલ્ધી નાસ્તા : ફળોનું કચુંબર, કાચા શાકભાજીનું કચુંબર, ઓટ્સ અથવા રાગી બિસ્કીટ, મમરા, ફણગાવેલા કઠોળ, શેકેલા ડ્રાયફ્રુટ, ઓછી ચરબીવાળી ચીઝ, દહીં, સૂકા અંજીર અને પૌઆ.
આની કાળજી લો : ખાવામાં ઘરેથી સારી વસ્તુઓ બનાવીને લાવો જે સુગંધિત પણ હોય. કારણ કે સુગંધવાળી વસ્તુઓ આપણી ઇન્દ્રિયોને જાગૃત કરીને ભૂખને સંતોષે છે. જમતી વખતે કામ ના કરો કે બોલવું નહીં.
2009 માં યુનિવર્સિટી ઓફ બિરમિંગહમના સ્ટડી મુજબ ખાવાનું ખાતી વખતે વધુ પડતી વાત કરવી અથવા કામ કરવું, તેનો અર્થ છે ભૂખથી પોતાને સંતોષ ન કરવો. તેથી જમતી વખતે જ ફક્ત ખાવા પર ધ્યાન આપો. તેનાથી તમને બ્રેક પણ મળશે અને ભૂખ પણ સમાપ્ત થઈ જશે.
જો તમને પણ આ માહિતી ગમી આવી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, તમને અહીંયા બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ અને હોમમાં ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.