આજના આધુનિક યુગમાં બજારમાં અનેક બ્યુટી પ્રોડક્ટ મળે છે, તેમાંથી તમે પણ ઘરે ખરીદીને લાવ્યા હશો અને તે હેર કેર પ્રોડક્ટ્સ દાવો કરે છે કે તેઓ તમારા વાળને સ્વસ્થ રાખે છે. પરંતુ કેટલીકવાર તેમાં રહેલા કેમિકલ્સ વાળને સ્વથ્ય બનાવની જગ્યાએ ઘણું નુકસાન પહોંચાડે છે.
આ સિવાય આજે મહિલાઓને ઘણી વાળની સમસ્યાઓ થઇ રહી છે. જેની ટ્રીટમેન્ટ માટે તેઓ આ કેમિકલથી બનેલી પેરોડકટમાં શોધે છે. પરંતુ તેઓ નથી જાણતા બજારુ પ્રોડક્ટમાં કેમિકલ્સ છે અને વાળની સમસ્યાઓનો ઉપાય હજારો વર્ષ જૂના આયુર્વેદમાં છુપાયેલો છે.
આજે અમે એવા જ કેટલાક આયુર્વેદિક ઓઇલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વાળના સમસ્યાઓથી પરેશાન નો સામનો કરી રહેલી મહિલાઓ માટે આ આયુર્વેદિક તેલ ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
ભૃંગરાજ : ભૃંગરાજ તમારા માથાની ત્વચાને સ્વસ્થ રાખે છે. આયુર્વેદ કહે છે કે તમારા વાળ ખરવા પાછળના કારણો ઘણા હોય છે, જેમાંથી એક છે તમારા શરીરમાં વાત વધવો. તે આપણા શરીરમાં હાજર પિત્ત સાથે સંકળાયેલું હોય છે. જેના કારણે વાળ કમજોર થવા અને પાતળા થવા જેવી સમસ્યાઓ આવે છે.
આના કારણે માથાની ચામડી પણ સૂકી થઇ જાય છે અને વાળને પોષણ નથી મળતું, તો આવી સ્થિતિમાં ભૃંગરાજ તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ભૃંગરાજ તેલ દરરોજ માથાની ચામડી પર લગાવવાથી શુષ્ક માથાની ચામડી નરમ થઈ જાય છે. તેનાથી માથાની ચામડીમાં લોહીનો પ્રવાહ પણ વધે છે અને વાળ ખરતા અટકે છે.
આયુર્વેદમાં ભૃંગરાજ તેલના ગુણકારી લાભો માટે જાણીતું છે. શિયાળામાં થતી ડેન્ડ્રફની સમસ્યાને ભૃંગરાજ તેલ ચપટીમાં ઠીક કરે છે. આ માટે તમારે તેને દિવસમાં ઓછામાં ઓછા 2 થી 3 વખત તમારા માથાની ચામડીમાં સારી રીતે ઘસવું પડશે.
એરંડાનું તેલ :એરંડાના તેલ એરંડિયું પણ કહેવાય છે. આયુર્વેદ મુજબ વાળની સંભાળ રાખવામાં અને વાળની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં તે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો જોવા મળે છે. જે આપણા વાળથી બેક્ટેરિયાને દૂર રાખે છે.
આ સાથે તે વાળને લાંબા કરવા માટે પણ સક્ષમ છે. ઘણી વખત મહિલાઓ કહે છે તેમના વાળ પાતળા અને આછા થઇ અગમ્ય છે, તો આ સ્થિતિમાં જો મહિલાઓ એરંડાના તેલનો ઉપયોગ કરે છે તો તેમના વાળ જાડા થાય છે સાથે જ તેમાં વોલ્યુમ પણ આવે છે.
ઘણી વખત સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમના વાળ સુકા અને નિર્જીવ દેખાય છે તો તમે એરંડાનું તેલ તમારા માટે યોગ્ય રહેશે. એરંડાનું તેલ ખોપરી ઉપરની ચામડીમાં ઊંડે સુધી જઈને વાળના મૂળને પોષણ આપે છે અને મોઇશ્ચરાઇઝ કરે છે. જો તમને પણ આવી વાળની સમસ્યા છે તો એકવાર એરંડાનું તેલનો ઉપયોગ ચોક્કસ કરો.
જૈતૂન : આ તેલ તમારા વાળને ફંગલ મુક્ત રાખે છે. એન્ટીઑકિસડન્ટ હોવાને કારણે જૈતૂન તમારા વાળને સ્વસ્થ પણ રાખે છે. જો તેની દરરોજ મસાજ કરવામાં આવે તો તમારા વાળને સોફ્ટ અને મજબૂત બને છે. જૈતૂન વાળને કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સથી થતા નુકસાનથી બચાવે છે.
તેમાં હાજર એન્ટી-ફંગલ તત્વો તમારા વાળને ફંગલથી બચાવે છે અને તમારા વાળમાં ઊંડા ઉતરીને તેને પોષણ પણ આપે છે. જૈતૂન ઓઈલ શિયાળામાં વાળની શુષ્કતા અને ખંજવાળને પણ ઠીક કરે છે જેના કારણે તમારા વાળ કાળા અને ચમકદાર રહે છે.